| Message | જાંબુ આયુર્વેદમાં જાંબુને તુરું, મધુર અને ખાટું કહેવાયું છે. જે પચી ગયા પછી મધુર બને છે. જાંબુ રુક્ષ-લુખું, શીતળ, પિત્ત અને કફશામક, પ્રબળ વાયુવર્ધક, રક્તસ્રાવ અટકાવનાર, ચામડીના રોગો, રક્તના રોગો અને બળતરાનું શમન કરનાર છે. જાંબુ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, યકૃત-લીવરને ઉત્તેજનાર, મળને રોકનાર, થાક અને તૃષા મટાડનાર, અતિસાર, શ્વાસ, ઉધરસ, ઉદરકૃમિ અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસમાં હિતાવહ છે. જાંબુના ઠળિયાને શેકી તેનો મુખવાસમાં ઉપયોગ થાય છે. આયુર્વેદમાં જાંબુને ફલેન્દ્રા, નંદા, રાજજંબુ, મહાફલા અને મહાજંબુ કહેવામાં આવે છે. |